ચારધામ યાત્રાળુઓ માટે મોટા સમાચાર: ચારધામ મંદિર પરિસરની 200 મીટરની રેન્જમાં મોબાઈલ ફોન લઈ જવા પર લાગ્યો પ્રતિબંધ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan16052024_110204_Char 22.webp)
- 16 May, 2024
ચારધામ યાત્રા 2024 સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે પણ યાત્રા પર જઈ રહ્યાં હોય કે રસ્તા પર હોય તો આ માહિતી તમારે માટે જરૂરી છે. ચારધામ મંદિર પરિસરની અંદર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં મંદિરની અંદર હવે શ્રદ્ધાળુઓ પોતાનો મોબાઈલ લઈ જઈ શકશે નહીં. ચાર ધામમાં મંદિરની 200 મીટરની રેન્જમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
આવી સ્થિતિમાં હવે સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. મુખ્ય સચિવ રાધા રાતુરીએ સૂચના આપી છે કે ચારધામમાં એટલે કે કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રી મંદિરના 200 મીટરની અંદર કોઈ પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવશે નહીં. રાધા રાતુરીના જણાવ્યા અનુસાર, મોબાઈલનો ઉપયોગ કરવાથી મુસાફરીમાં પણ વિક્ષેપ પડી રહ્યો છે.
મુખ્ય સચિવ રાધા રાતુરીએ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓને સૂચના આપી છે કે યાત્રા પર આવનારા ભક્તો મંદિરની 200 મીટરની ત્રિજ્યામાં વીડિયો બનાવી શકશે નહીં કે મોબાઈલનો ઉપયોગ પણ કરી શકશે નહીં. જો કોઈ મોબાઈલનો ઉપયોગ કરતું જોવા મળશે તો પોલીસ તેને રોકશે તેમજ તેની સામે કાર્યવાહી પણ થઈ શકે છે.
ઉત્તરાખંડ સરકારે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને પોતપોતાના રાજ્યોમાં જાહેર કરવા કહ્યું છે કે કોઈ પણ શ્રદ્ધાળુએ રજીસ્ટ્રેશન વગર ચારધામ યાત્રા પર ન આવવું જોઈએ. જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓએ રજીસ્ટ્રેશનમાં દર્શાવેલ તારીખો પર આવવું જોઈએ. મુખ્ય સચિવ રાધા રાતુરીએ પણ આવનારા ભક્તોને સંયમ રાખવા અને વહીવટીતંત્રને ટેકો આપવા અપીલ કરી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ